સોમવાર, 14 માર્ચ, 2011

કદાચ- અનિલ જોશી

આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

ઘરને ઉંબર
ઢળી પડેલા
સમી સાંજને તડકે
મારું ઝળહળ ઘરને નેવાં,
ને-
અવરજવરતી કીડીઓની લંગાર
જોઇ ને
અગન-થાંભલી
જઉં બાથમાં લેવા
કદાચ મારી પરિસ્થિતિની અગનથાંભલી
તડાક દઈને નહીં તૂટે તો?

આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

0 ટિપ્પણી(ઓ):