શનિસભામાં આજે બહુ દાદ પામેલી ગઝલ રજુ કરું છું...કવિ છે દિલીપ શ્રીમાળી...ગુજરાતી કવિતાનો નવો અવાજ.
અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે?
અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે?
ઉતારી દઉં અહમ પણ એક પળમાં સર્વ ફૂલોનો,
પરંતુ દોસ્ત ફૂલોને મસળવાનો સમય ક્યાં છે?
ઘણી એ ઠોકરો વાગી હતી અમને ઘરે જાતાં,
હું સંભાળીને ચાલું છું, લથડવાનો સમય ક્યાં છે?
ન પૂછો કેમ પડતાંવેંત ડુબી જાય છે પત્થર,
પરંતુ સત્ય એ છે એને તરવાનો સમય ક્યાં છે?
પડ્યું છે ક્યારનું એ સાવ ખાલ મંચ મારામાં
ઘણાએ પાત્ર છે ભીતર ભજવવાનો સમય ક્યાં છે?
સોમવાર, 14 માર્ચ, 2011
ગઝલ - દિલીપ શ્રીમાળી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો