ગુરુવાર, 17 માર્ચ, 2011

લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ

પોતાની તેજાબી કલમ માટે જાણીતા કવિયત્રી શ્રી સરૂપ ધ્રુવની એક ગઝલ,


સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે? આ શાનો ધખારો?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં? ફરી શો તમાશો?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે! પીગળી ક્યાં બરફની વખારો?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી...
અહીં ગોઠવી'તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો! લો, ઉઠાવો આ લંગર ગઝલનું,
અંજળ ઊઠ્યાં છે, રુઠ્યો છે કિનારો!

0 ટિપ્પણી(ઓ):