જિંદગી દીધી નાશવંત મને,
પણ ગઝલ રાખતી જીવંત મને.
જ્યારથી રૂપ તારું ગાયું મેં,
જોતી રહી ઈર્ષ્યાથી વસંત મને.
શબ્દમાં કાયમી સળગવાની,
શું સજા મળી છે જ્વલંત મને.
આ હયાતી તો છે રહસ્ય-કથા,
આમ કહી દે ન એનો અંત મને.
માત્ર મેં તો લખી છે તારી વાત,
લોક સમજી રહ્યા છે સંત મને.
અંતમાં તેં વિખેરી નાખીને-
વિશ્વભરમાં કર્યો અનંત મને.
શુક્રવાર, 11 માર્ચ, 2011
ગઝલ - મનોજ ખંડેરિયા
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો