શુક્રવાર, 11 માર્ચ, 2011

ગઝલ - મનોજ ખંડેરિયા

જિંદગી દીધી નાશવંત મને,
પણ ગઝલ રાખતી જીવંત મને.

જ્યારથી રૂપ તારું ગાયું મેં,
જોતી રહી ઈર્ષ્યાથી વસંત મને.

શબ્દમાં કાયમી સળગવાની,
શું સજા મળી છે જ્વલંત મને.

આ હયાતી તો છે રહસ્ય-કથા,
આમ કહી દે ન એનો અંત મને.

માત્ર મેં તો લખી છે તારી વાત,
લોક સમજી રહ્યા છે સંત મને.

અંતમાં તેં વિખેરી નાખીને-
વિશ્વભરમાં કર્યો અનંત મને.

0 ટિપ્પણી(ઓ):