શુક્રવાર, 11 માર્ચ, 2011

ગઝલ - અમૃત "ઘાયલ"

પરંપરામાં પાછા જઇએ...અમૃત"ઘાયલ"ની એક ગઝલથી. એમને શુધ્ધ કવિતાથી મતલબ છે, પછી ભલે ને રાજાએ કરી હોય કે રંકે.


ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યા છે કહાણીના સ્વાંગમાં !

આપણને આદિકાળથી અકળાવતું હતું,
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં !

પૂનમ ગણી હું જેમની પાસે ગયો હતો,
એ તો હતી ઉદાસી ઉજાણીના સ્વાંગમાં !

'ઘાયલ', અમારે શુધ્ધ કવિતાઓ જોઈએ,
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં.

0 ટિપ્પણી(ઓ):