પરંપરામાં પાછા જઇએ...અમૃત"ઘાયલ"ની એક ગઝલથી. એમને શુધ્ધ કવિતાથી મતલબ છે, પછી ભલે ને રાજાએ કરી હોય કે રંકે.
ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યા છે કહાણીના સ્વાંગમાં !
આપણને આદિકાળથી અકળાવતું હતું,
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં !
પૂનમ ગણી હું જેમની પાસે ગયો હતો,
એ તો હતી ઉદાસી ઉજાણીના સ્વાંગમાં !
'ઘાયલ', અમારે શુધ્ધ કવિતાઓ જોઈએ,
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં.
શુક્રવાર, 11 માર્ચ, 2011
ગઝલ - અમૃત "ઘાયલ"
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો