કાંકરિયાની પાળે બેઠા
યાદોના અજવાળે બેઠા
આંખ જરા મીંચાઈ ત્યાં તો
ઢાલગરવાડના ઢાળે બેઠા
આખ્ખી દુનિયાને દોડાવે
કાંટાઓ ઘડિયાળે બેઠા
કાચા પાઠો પાકા કરવા
આદિલ ગઝલનિશાળે બેઠા
એમના આ બે શેર જુઓ-
તું બેઠો બેઠો જન્મનાં વરસો ગણ્યા કરે
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે
સામા મળે તો 'કેમ છો' ય પૂછતા નથી
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે
શુક્રવાર, 11 માર્ચ, 2011
શ્રધ્ધાંજલી - આદિલ મન્સૂરી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો